
હજીરા ખાતે એલ એન્ડ ટી કંપનીના ગેટ પાસે ગઈકાલે રાત્રે ખાનગી કંપનીની સ્ટાફ બસ અને + એક હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડથી આવી : રહેલા ટ્રક અને બસ વચ્ચે સામસામે ધડાકાભેર અથડાતાં બસના કેબિનનો ભાગ દબાઈ જતા ડ્રાઈવર અને એક કર્મચારી અંદર ફસાય ગયા હતા. ઘટના અંગે જાણ થતા કંપનીનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને જ્યારે આ અંગે ફાયર વિભાગને પણ જાણ કરતા સુરત ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી ડ્રાઈવર અને કર્મચારીને બહાર કાઢી ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, હજીરા ખાતે એલ એન્ડ ટી કંપનીના ગેટ નં.૦૫ પાસે ખાનગી કંપનીની સ્ટાફ બસ ઉભી હતી. ત્યારે રોંગ સાઇડથી આવી રહેલા હાઇવા ટ્રક ચાલકે ઉભેલી બસ સાથે ધડાકાભેર અથડાવી હતી. જેના કારણે બસના કેબિનનો ભાગ દબાઈ ગયો હાતો. અને બસ ડ્રાઈવર સ્વામીનાથ રામ અને કર્મચારી પપ્પુ ભટ્ટ અંદર ફસાઈ ગયા હતા. અને બસમાં બેસેલા સ્ટાફના ૭ જેટલા કર્મચારીઓ સહીસલામત હતા. જેથી તમામ કર્મચારી તાત્કાલિક બસની નીચે ઉતરી ગયા હતા. અકસ્માત અંગેની જાણ કંપનીને થતા કંપનીનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને જ્યારે આ અંગે ફાયર વિભાગને પણ જાણ કરતા સુરત ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ફાયર જવાનોએ રેસ્ક્યુની | કામગીરી હાથ ધરી હતી. ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું i કે બસનો કેબિનનો ભાગ દબાઈ જતા સ્પ્રેડરથી ખેંચીને પહોળો કરી અંદર 1 ફસાયેલા ડ્રાઈવર સ્વામીનાથ રામ અને કર્મચારી પપ્પુ ભટ્ટને બહાર કાઢવામાં આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત હાલતમાં ડ્રાઈવરને ૧૦૮ ॥ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.